Tuesday, 12 March 2019

અમારી શાળા.



                     ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામસેવાકેન્દ્ર ભલાડાની સ્થાપના ઇસ.૧૯૪૨ માં પૂજ્ય સ્વ.શ્રી.રાવજીભાઈ નાથાભાઈ પટેલે કરી.તેઓ મૂળ સોજીત્રાના વતની હતા.ત્યાર બાદ તેમની સાથે સ્વાતંત્ર સેનાની  સ્વ.શ્રી મતિ કાશીબેન પરશોતમદાસ પટેલ,ચુનીદાદા,મરઘાદાદા.ડાહી બા ,ભાનુ દાદી સાથે મળી કન્યા કેળવણી તથા ગ્રમોધાર ના કાર્યો કર્યા.

                       ઇસ.૧૯૫૨ માં સર્વોદય કન્યા છાત્રાલય ની સ્થાપના થઇ . ઇસ.૧૯૭૭-૭૮ માં સ્વ.તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ આશ્રમશાળા ભલાડાના મકાનનું ખાતમુરત કર્યું.જેમાં ધોરણ -૧ થી ૮ નિવાસી શાળા છે.   

               શૈક્ષણીકસુવિધાઓમાંકમ્પ્યુટર,પુસ્તકાલય,પ્રયોગશાળા,સામયિકો,વર્તમાન પત્રો,ઇન્ટરનેટ,રમત-ગમતના સાધનો,સંગીતના સાધનો  ની સુવિધા છે.વિદ્યાથીઓ માટે ભોતિક સગવડો માં પાકા મકાનો,ભોજનાલય,શૌચાલય,બાથરૂમ,પેશાબખાનું,પલંગ,ગાદલા,ઓશિકા,ચાદરો,ધાબળા,મચ્ચર જાળી ની સાથેની સુવિધા છે.

     શાળા પૃવૃતીમાં રમતોત્સવ,વકૃત્વસ્પર્ધા,નિબંધસ્પર્ધા,ચિત્રસ્પર્ધા,મેહદી હરીફાઈ,કેસ ગૂંથન સ્પર્ધા,ગણિત - વિજ્ઞાન પ્રદર્સન મેળો,શાળા પ્રવાસ,વનભોજન,વ્રુક્ષારોપણ,ઔષધિબાગ,ફૂલછોડ ઉછેર,પ્રદર્શનોનું આયોજન,સંસ્કાર કાર્યક્રમો શાળા પરિવાર માં   કરવામાં આવે છે. ગ્રામોધારની પ્રવૃત્તિમાં ગ્રામ સફાઈ,નસાબંધી,સ્વચ્છતા,રેલી,પ્રદર્શનો,વગેરે જાગૃતિના કાર્યો તથા એન.એસ .શિબિર અને લોક જાગૃતિ ,ખેડૂત માર્ગદર્શન તાલિમ શિબિરો કરવામાં આવે છે.

1 comment: